મલાઇ પ્રાથમિક શાળા - પે . સેન્ટર, ડાકોર

Saturday 22 September 2012

ગણેશચતુર્થી

ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથ ના દિવસે ઉજવવામા આવે છે.જેને ગણેશ ચતુર્થી અને કલંક ચોથ ના નામે પણ ઉજવવામાં આવે છે.

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભિમબલી નામની જગ્યાએ ગયા.આ તરફ પાર્વતીજી એ પોતના ઉબટનમાંથી એક પુતળું બનવી તેમં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ આપ્યુ અને તેને ગુફની બહાર બેસડી દીધા.થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશજીએ અન્દર જતાં રોક્યા.આથી ક્રોધિત થયેલા ભગવાન શંકરે ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ.પાર્વતીજી શિવની સામે જોઇ દંગ રહી ગયા.

જ્યારે શિવજી એ પાર્વતીજી ને સમગ્ર વાત કહી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યા અને બોલ્યા કે તે મારો પુત્ર હતો.તમે ગમે તે કરીને મારા પુત્રને જીવીત કરો.મતની જીદ આગળ શંકરજી ધર્મસંકટમાં પડી ગયા.બરાબર એ જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો.શંકરજી એ હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવા સુદચતુર્થી ના દિવસે બની હતી.આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે.
જય શ્રી ગણેશ.

No comments:

Post a Comment